Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મને નથી લાગતું કે ધોની ઈન્ડિયા માટે ફરી રમેઃ હરભજન

નવીદિલ્હીઃ હરભજન સિંહનું કહેવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્ર સિંહ ધોની ઉત્તમ પર્ફોર્મન્સ આપે તો પણ તેને નથી લાગતું કે તે ભારતીય ટીમ માટે ફરી રમશે. ધોનીને ગઈકાલે સેન્ટ્રલ કોન્ટ્રેકટમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. આ વિશે હરભજન સિંહનું કહેવું છે કે 'મને નથી લાગતું કે તે ફરી ઈન્ડિયા માટે રમશે, કારણ કે તેણે પહેલેથી જ નકકી કર્યું હતું કે તે વર્લ્ડ કપ સુધી જ રમશે.  તે હાલમાં આઈપીએલ માટે તૈયારી કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.'

(11:20 am IST)