Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા ફરી મેદાનમાં ઉતરશે : સિરીઝ રમશે

ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં બંને એક સાથે જોવા મળશે.

 

મુંબઈ : ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. બંને ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યાં છે. તેઓ ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં તેઓ સાથે જોવા મળશે.

સીરીઝમાં દુનિયાભરના પાંચ દેશના ખેલાડી રમશે. જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતનો સમાવેશ થાય છે. ભારતની તરફથી સચિન તેંડુલકર સીરિઝમાં ઉતરશે.

આમ ભારતના ખેલાડી અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિનને ફરીથી મેદાનમાં ઉતરીને રન ફટકારતા જોવું લ્હાવો રહેશે. સચિન આજે પણ તેમના રેકોર્ડના લીધે ક્રિકેટપ્રેમીઓના દિલમાં છવાયેલા છે. રોડ સેફ્ટી સીરીઝ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માત અંગે જાગૃતિને લઈને સીરીઝ યોજવામાં આવે છે

(12:55 am IST)