Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

યુવા ટીમ ઈન્ડિયા મુંબઈમાં કવોરેન્ટાઈનઃ ફોટા શેર કર્યાઃ ૨૮મીએ શ્રીલંકા રવાના

મુંબઈઃ શ્રીલંકાની ટૂર માટે યુવા ભારતીય ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. ખેલાડીઓએ બે અઠવાડીયા કવોરન્ટાઈન રહેવું પડશે. ત્યાર બાદ કોચ રાહુલ દ્રવિડ સાથે ટીમ ૨૮ જૂન કોલંબો રવાના થશે. ૨૦ સભ્યોની ટીમની કેપ્ટનશીપ શિખર ધવનને જયારે ભુવનેશ્વરકુમારને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતની ટીમ ૩ વન-ડે અને ૩ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે. ટીમની સાથે પાંચ નેટ બોલર પણ જોડાશે. તેમ બીસીસસીઆઇએ ટ્વીટ કરી જણાવ્યું છે.

દરમિયાન મુંબઈમાં કવોરન્ટાઈન રહેલા ધવન, ભુવનેશ્વર, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, નીતિશ રાણા સહિતના ખેલાડીઓએ ફોટા શેર કર્યા હતા.

(1:59 pm IST)