Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સારા પ્રદર્શન છતાં મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતોઃ રૈના

મારે દેશ માટે લાંબા સમય સુધી રમવું છે, ઈંગ્લેન્ડમાં સારૂ પ્રદર્શન કરીશ

સુરેશ રૈનાએ કહ્યું હતું કે સારું પ્રદર્શન કર્યા છતાં મને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો જેને કારણે હું ઘણો દુખી હતો. જોકે હવે ફરીથી વાપસી બાદ સાઉથ આફ્રિકામાં આગામી ટી-૨૦ સિરીઝમાં મળેલી તકનો પૂરેપૂરો ફાયદો ઉઠવવા તૈયાર છું.એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ત્યારે હું દુખી હતો, કારણ કે સારું રમવા છતાં મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આટલા મહિનાની આકરી તાલીમ દરમ્યાન મારી ભારત માટે રમવાની ઈચ્છા વધુ મજબૂત થઈ છે.સ્પેશ્યલિસ્ટ બેટ્સમેન તરીકેની છાપ ધરાવતા રૈનાએ કહ્યું હતું કે મારે ભારત માટે લાંબા સમય સુધી રમવું છે. મારે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં રમવું છે, કારણ કે મને ખબર છે કે હું ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરી શકુ છું.

(12:01 pm IST)