Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભારતીય ટીમમાં આ ખેલાડીનો થયો સમાવેશ: ઇજાના કારણે હતો ટીમની બહાર: ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં રમશે

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામે ભારતે રમવાની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડે 2-0થી આગળ છે તેવા સમયે ભારતીય ટીમ માટે સારા સમાચાર મળી રહ્યા છે ટીમમાંથી ઇજાના લીધે બહાર જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટ મેચમાં રમશે. તે સંપૂર્ણ રીતે હવે ફિટ હોવાથી તેને ટીમમાં લેવામાં આવ્યો છે. ભારતે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં 31 રન અને બીજી મેચમાં 159 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ત્રીજી ટેસ્ટ મેચ નોટિઘમમાં 18 ઓગસ્ટના રમાશે.

(4:50 pm IST)