Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

રૈના અને ધોની માટે શું ઇચ્છા રાખેછે રોહિત શર્મા?

નવી દિલ્હીઃ ભારતીય  ક્રિકેટ ટીમના બેટ્સમેન રોહિત શર્મા ઇચ્છે છે કે સુરેશ રૈના જે લાંબા સમયથી ટીમની બહાર છે તે ગમે એમ કરીને પોતાનું સ્થાન પાછો મેળવે અને સાથે- સાથે મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમમાં પાછો ન રમવા આવે. સુરેશ રૈના અને રોહિત શર્માએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ કુઈ ચેટિંગ કરી હતી. આ દરમ્યાન રોહિતે કહ્યું  કે હું જાણું છું કે આટલાં વર્ષો દેશ માટે રમ્યા બાદ અચાનક બહાર રહેવું પડે તો કેવો અનુભવ થાય છે. અમે ટીમમાં હમેશાં વાતચીત કરતા હોઈએ છીએ કે ટીમમાં સુરેશ રૈનાની જરૂરત છે, કારણ કે તે અનુભવી અને સક્ષમ પ્લેયર છે. અમે તને ઘણા વખત રમતા જોયો છે. અમે બસ એ જ ઇચ્છીએ છીએ કે તું ગમે એમ કરીને ટીમમાં પાછો આવ.

રોહિત શર્માના આ વાકયના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું કે મારે ઇન્જરી અને સર્જરીને લીધે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું જેને લીધે મેં મારૂ સ્થાન પણ ગુમાવ્યું. ખરૂ કહું તો હજી પણ મારામાં ક્રિકેટ રમવાની ક્ષમતા બચી છે. આપણા હાથમાં માત્ર પર્ફોર્મન્સ  નો છે, સિલેકશન નહીં. અમે જયારે યુવાન હતા ત્યારે અમારા કેપ્ટને અમને ઘણો જ સપોર્ટ કર્યો હતો.

આ ઉપરાંત બન્ને પ્લેયરોએ મહેન્દ્ર સિંહ ધોની  વિશે પણ વાત કરી હતી. સુરેશ રૈના મહેન્દ્ર સિંહ ધોની સાથે ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથે રમી રહ્યો  હોવાથી તે ધોનીને મળ્યો હતો. રેનાના જણાવ્યા પ્રમાણે ધોની સંપૂર્ણપણે ફિટ છે અને તેનામાં પણ ક્રિકેટ રમવાની ક્ષમતા હજી બચી છે. એમ છતાં ધોની પોતાની શું પ્લાનિંગ છે એ તો માત્ર તે જ જાણે છે. તેમ છતાં રૈના અને રોહિત બન્ને ઇચ્છે છે કે ધોની ટીમમાં વાપસી કરે. 

(3:45 pm IST)