Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોહલી લાગણીવશ થઈને નિયંત્રણ ગુમાવી બેઠો : વિશ્વનાથન આનંદ

ચેસના પાંચ વખતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના મતે સોશ્યલ મીડીયામાં એક પ્રશંસક માટે ભારત છોડી દે એવી ટિપ્પણી દરમિયાન વિરાટ કોહલી લાગણીશીલ થઈ ગયો અને જાત પરનો કાબુ ગુમાવી દીધો હશે. કોહલીની આ ટીપ્પણી બાદ મોટો વિવાદ થઈ ગયો હતો. પરિણામે સોશ્યલ મીડીયામાં કોહલી ટ્રોલ થયો હતો. પ્રશંસકે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની પ્રશંસા કરતાં કોહલીને જરૂર કરતા વધુ મહત્વ આપવાની વાત કરી હતી. પરિણામે કોહલીએ તેને ભારત છોડી દેવા કહ્યુ હતું. આનંદે કહ્યું હતું કે, રમતમાં તમને અનેક પ્રકારની વ્યકિતઓ જોવા મળે છે. કોહલી કદાચ સારા મૂડમા નહિં હોય એવું મારૂ માનવું છે.

(2:51 pm IST)