Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સરફરાઝ સાથે મતભેદની વાતોને મોહસીન ખાને આપ્યો રદીયો

ટેસ્ટના કેપ્ટન તરીકે સરફરાઝ અહમદને હટાવવો જોઈએ એવો અભિપ્રાય આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમીટીના ચેરમેન મોહસીન ખાને કેપ્ટન સાથે કોઈ મતભેદ હોવાની વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું હતું કે આ વાત મેં દોઢ વર્ષ પહેલા કરી હતી. ત્યારે મને લાગ્યુ હતું કે તે યુવાન છે એથી તેણે વધુ દબાણ ન લેતાં માત્ર વન-ડે ટીમમાં જ પાકિસ્તાનનું નેતૃત્વ કરવું જોઈએ. જો કે હવે તે ઘણો અનુભવી થઈ ગયો છે એટલુ જ નહિં, ટીમ જીતવા પણ લાગી છે.

(2:49 pm IST)