Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

પૂર્વ પાક. ક્રિકેટર દાનિશ કનેરિયાએ ઇચ્‍છા વ્‍યક્તિ કરી: ભગવાન રામની ઈચ્છા હશે તો રામ મંદિર જોવા માટે ભારત આવીશ

ઈસ્લામાબાદ : અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું. આ ઐતિહાસિક અવસર પર તમામ દિગ્ગજ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ રામ મંદિરને લઈને ટ્વીટ કર્યા છે. કનેરિયાએ જણાવ્યું છે કે, જો ભગવાન રામની ઈચ્છા હશે તો તેઓ ભારતમાં રામ મંદિરને જોવા માટે જશે.

એક ઈન્ટરવ્યુમાં કનેરિયાએ જણાવ્યું હતું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું મે ડિવોટેડ હિન્દુ છે અને હંમેશા ભગવાન રામના જણાવેલા માર્ગે ચાલવાના પ્રયાસ કર્યા છે. બાળપણમાં મેં રામાયણ જોઈ હતી હું ભગવાન રામની પૂજા કરું છું. ભૂમિ પૂજન પર જે ટ્વીટ કર્યા હતા તે કોઈને દુ:ખ પહોંચાડવા માટે નહતા. હું ભગવાન રામમાં વિશ્વાસ રાખું છું અને તેના માટે જ મેં ટ્વીટ કર્યા હતા. જો ભગવાન રામની ઈચ્છા હશે તો હું ભારત જઈને રામ મંદિરના દર્શન કરીશ.

તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે રમવું એ મારા માટે ગર્વની વાત છે. પોતાના દેશ માટે રમવું, હિન્દુ ક્રિકેટર હોવું, પાકિસ્તાનને રિપ્રેઝેન્ટ કરવું અને મારી ટીમ માટે જીત પ્રાપ્ત કરવી મારા જીવનની ઉપલબ્ધિઓ છે અને આ મારા માટે સન્માનની અને ગર્વની વાત છે.

 

(12:24 pm IST)