Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રવીન્દ્ર જાડેજા આવતા વર્ષે ચેન્નાઇની ટીમમાં ન પણ જોવા મળેઃઆકાશ ચોપડા

ફ્રેન્ચાઇઝ ખેલાડીઓ સાથે તાત્કાલીક સંબંધો તોડી નાખે છે

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યુ છે કે ગઇ કાલની મુંબઇ અને ચેન્નઇ વચ્ચેની મેચના પ્રિવ્યુ વખતે મને એવો સંકેત મળ્યો હતો કે જાડેજા કદાચ આવતા વર્ષે ચેન્નઇની ટીમમાં નહી જોવા મળે.

આકાશ ચોપડાએ સુરેશ રૈનાનું ઉદાહરણ આપતા કહ્યું કે આ ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ સાથે તત્કાળ સંબંધો તોડી નાખે છે, તેમની સંભવિત ઇજા વિશે કોઇ સ્પષ્ટતા  નથી કરાતી અને અચાનક જે-તે ખેલાડી ચેન્નઇ વતી રમતો નથી જોવા મળતો. ભૂતકાળમાં એવું બની ચૂકયું છે. જડ્ડુની ગેરહાજરી ચેન્નઇને મુશ્કેલીમાં મૂકી શકે છે

(4:19 pm IST)