Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પાકિસ્તાન સાથે ત્યારે જ ક્રિકેટ રમીશુ જયારે રાજનીતિક પરેશાની દૂર થશેઃ બીસીસીઆઈ

નવીદિલ્હી, તા.૧૩ : પાકિસ્તાન બોર્ડના મેનેજિગ ડાયરેકટરક વસીમ ખાને ભારતની સાથે ક્રિકેટમાં ચાલી રહેલ તનાતની વચ્ચે બીજીવાર રમવાની ઇચ્છા વ્યકત કરી છે.તેના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પાકિસ્તાનની સાથે ત્યારે ક્રિકેટ રમશે જયારે બંન્ને દેશો વચ્ચે રાજનીતિક પરેશાની દુર થશે

 

સુત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું છે કે આપણે એ સમજવું પડશે કે આપણને પાકિસ્તાનથી ક્રિકેટ રમવામાં કોઇ પ્રકારની કોઇ મઉશ્કેલી નથી પરંતુ અમે ઇચ્છતા નથી કે આથી બે સરકારો વચ્ચે કોઇ મુશ્કેલી વધે.

આ પહેલા પાકિસ્તાન બોર્ડના મેનેજિંગ ડાયરેકટક વસીમ ખાને ભારત પાકિસ્તાનના સંબંધો પર વાત કરતા કહ્યું કે અમે તેમને હંમેશાથી અમારી સાથે રમવા માટે કહી રહ્યાં છીએ પરંતુ એક એવી સ્થિતિ પણ બનવી જોઇએ જયાં તે અમારી સા।થે રમવા માટે કહે મને લાગે છે કે આપણે આમ કરવાની જરૂરત છે.(૩૭.૯)

(3:34 pm IST)