Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ગૌતમ ગંભીર અને મદનલાલને સલાહકાર સમિતિના સમાવાય તેવી શકયતા

બીસીસીઆઈની સલાહકાર સમિતિમાં મહિલા ક્રિકેટર : સુલક્ષણા નાયકની પણ પસંદગી થવા વકી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર અને મદન લાલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિમણૂક કરાઈ તેવી શકયતા છે. જયારે ત્રીજા સદસ્ય તરીકે મુંબઈની મહિલા ક્રિકેટર સુલક્ષણા નાઇકની પસંદગી થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુલક્ષણા નાઇકે ટીમ ઇન્ડિયા માટે બે ટેસ્ટ અને ૪૬ વન ડે મેચ રમ્યા છે. ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ ૨૦૧૧માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાએ જીતીને ઇતિહાસ સજર્યો હતો. જયારે મદનલાલ ૧૯૮૩ વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમમાં સામેલ હતા.

(3:39 pm IST)