Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

૧૮મીએ કુલ ૩૪૬ પ્લેયરોની IPLમાં હરરાજી થશે

જયપુરમાં ૧૮ ડિસેમ્બરે થનારી આઈપીએલની હરાજીમાં કુલ ૩૪૬ ખેલાડીઓની બોલી લગાડવામાં આવશે. જેમાં કોઈપણ ભારતીય ક્રિકેટરની બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ નથી. કુલ ૧૦૦૩ ખેલાડીઓએ હરાજી માટે નામ નોંધાવ્યા હતા. જેમાં ૮ ટીમોએ મોકલેલી યાદી મુજબ ખેલાડીઓની બોલી લગાડવામાં આવશે. યુવરાજસિંહ અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓએ પણ પોતાની બેઝ પ્રાઈઝ ૧ કરોડ રૂપિયા રાખી છે.

(5:34 pm IST)