Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સૌરાષ્ટ્ર રણજી ટીમના પૂર્વ ક્રિકેટર મૂળુભા જાડેજાનું નિધન

મુંબઇ : સૌરાષ્ટ્ર રણજી ટીમના પૂર્વ મુળુભા જાડેજાનું આજે રાજકોટમાં નિધન થયું છે મુળુભાનાં અવસાનથી ભારતીય ક્રિકેટ જગત શોકની લાગણી ફેલાઈ છે .

  સ્વ. મુળુભા જાડેજાએ સૌરાષ્ટ્ર, નવા નગર અને ભારતીય રેલ્વે તરફથી વર્ષ 1945 થી 1964 દરમ્યાન ક્રિકેટ રમ્યા હતા. તેમણે ક્રિકેટ કારકિર્દી દરમ્યાન કુલ 31 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. આ 31 મેચમાં તેમણે 26.92ની એવરેજથી 1373 રન કર્યા હતા. જેમાં 7 અડધી સદી અને 2 સદી નોંધાવી છે. તો તેમણે બોલીંગમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેમાં તેમણે 1 વિકેટ ઝડપી હતી.

  મુળુભા જાડેજાના પુત્ર બિમલસિંહ જાડેજા પણ સૌરાષ્ટ્ર રણજી ટીમ તરફથી ક્રિકેટ રમી ચુક્યા છે. મુળુભા જાડેજાએ કોચ તરીકે પણ નોંધનીય કાર્ય કર્યું હતું. તેમના અચાનક વિદાય બદલ ક્રિકેટ જગત શોકની લાગળી અનુભવી રહ્યા છે.

(11:47 pm IST)