Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

આજે ભારત સામે નહીં રમી શકે શ્રીલંકાનો કેપ્ટન દિનેશ ચંદીમલ

શ્રીલંકાને ભારત સામે આજે રમાનારી મહત્વપૂર્ણ મેચ પહેલા ગઈકાલે જોરદાર ઝાટકો લાગ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલને સ્લો ઓવર રેટ બદલ ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સીરીઝની આગામી બે મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જેને કારણે કે તે ભારત સામે નહીં રમી શકે. આઈસીસીએ આપેલી માહિતી મુજબ ચંદીમલે શનિવારે રમાયેલી બાંગ્લાદેશ સામેની મેચમાં નિયત સમય કરતા ચાર ઓવર ઓછી નાખી હતી. હવે જો શ્રીલંકા ફાઈનલમાં પહોંચશે તો ચંદીમલ એમાં રમી શકશે.

(11:43 am IST)