Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

દ્રવિડ ન્‍યુઝીલેન્‍ડ પ્રવાસમાં કોચ નહીં બનેઃ લક્ષ્મણ સંભાળશે જવાબદારી

મુંબઈઃ ટીમ ઈન્‍ડિયાના ન્‍યુઝીલેન્‍ડ પ્રવાસ પર રાહુલ દ્રવિડની આગેવાની હેઠળના કોચિંગ સ્‍ટાફને ટી-૨૦ વર્લ્‍ડ કપ પછી બ્રેક આપવામાં આવ્‍યો છે. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ આ સમયગાળા દરમિયાન કાર્યકારી મુખ્‍ય કોચ રહેશે. હવે ભારતને ન્‍યુઝીલેન્‍ડમાં ત્રણ મેચની ટી-૨૦ અને ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. ટી-૨૦ શ્રેણી ૧૮ નવેમ્‍બરથી વેલિંગ્‍ટનમાં શરૂ થશે. નિયમિત કેપ્‍ટન રોહિત શર્મા, સ્‍ટાર બેટ્‍સમેન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સ્‍પિનર રવિચંદ્રન અશ્વિન સહિતના વરિષ્‍ઠ ખેલાડીઓને પ્રવાસમાં આરામ આપવામાં આવ્‍યો છે.

 

(3:30 pm IST)