Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન

નવી દિલ્હી: બીસીસીઆઈની વરિષ્ઠ પસંદગી સમિતિ રવિવારે મુંબઇમાં બેઠક કરશે અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે. ભારતીય ટીમ 19 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે મેચના એક દિવસ બાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થશે.આ બાબતની નજીકના એક સ્ત્રોતે આઈએએનએસને જણાવ્યું છે કે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમમાં રવિવારે જાહેરાત કરવામાં આવશે અને ટીમ બેંગ્લુરુમાં રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચના એક દિવસ પછી ન્યુઝીલેન્ડ જવા રવાના થશે.સૂત્રએ જણાવ્યું હતું કે, "પસંદગીકારો રવિવારે ટીમની ઘોષણા કરશે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ બાદ એક દિવસ પછી ટીમ રવાના થશે. ટીમ બેંગ્લુરુથી જ ઉડાન ભરશે. ઓસ્ટ્રેલિયા મેચ બાદ ટીમના ખેલાડીઓ વિખેરાઇ ગયાં અને ન્યુઝિલેન્ડમાં ફરીથી સમાધાન કરવા પાછા જવાનો કોઈ અર્થ નથી.

(5:06 pm IST)