Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

રહાણેનો સોશ્યલ મીડીયામાં પ્રશ્ન તમને વડાપાંઉ શાની સાથે ભાવે ? માસ્ટર બ્લાસ્ટરે આપ્યો મીઠો જવાબ

મુંબઈઃ ખાવાની બાબતમાં મહારાષ્ટ્રચા મુલગા અજિંકય રહાણેએ વડાંપાઉ ખાતાં-ખાતાં એક સવાલ સોશ્યલ મીડિયામાં પૂછ્યો હતો, જેનો જવાબ આપવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુકલકરને દ્યણો રસ પડ્યો એમ કહી શકાય.

અજિંકયએ હાથમાં વડાપાંઉ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો અને પૂછ્યું કે 'તમને વડાપાંઉ શાની સાથે ખાવાનું ગમે? ૧. વડાપાંઉ ચા સાથે. ર. વડાપાંઉ ચટણી સાથે  ૩. ફકત વડાપાંઉ?

  રહાણેના આ ખાતા-પીતા સવાલનો જવાબ આપતાં  તેન્ડુલકરે કહ્યું, 'મને લાલ ચટણી   સાથે વડાપાંઉ ઘણાં ભાવે. બહુ જ ઓછી લીલી ચટણી અને ટેસ્ટ માટે આમલીની ચટણી.'

 જોકે તેન્ડુલકર અગાઉ પણ કહ્યું કે તે પોતાના પુત્ર અર્જુન સાથે શિવાજી પાર્ક જિમખાના વડાપાંઉ ખાવા જાય છે. ત્યાંનાં વડાપાંઉ ચટણી સાથે પિતા-પુત્ર બન્નેને ભાવે છે.

(3:27 pm IST)