Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભવિષ્યવાણી સાચી કરવા બદલ સચિને રોહિતનો માન્યો આભાર

ભારતીય ટીમે પહેલી વખત ઈંગ્લેન્ડમાં ટી-૨૦ સિરીઝ જીતી છે. વિશાળ સ્કોરને જોતા ભારતીય બેટ્સમેનોએ પીચ પર ટકવાનુ હતું, પરંતુ ઓપનર શિખર ધવનની વિકેટ ઝડપથી પડી છતાં રોહિત શર્મા ફરી એક વાર શાનદાર ઈનિંગ્સ રમ્યો. રોહિતે મેદાનની ચારે તરફ બોલને ફટકારી રહ્યો હતો. સચિન તેન્ડુલકર પણ આ મેચ જોઈ રહ્યો હતો. તેમજ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતો હતો. ભારતની અડધી ઈનિંગ્સ થતા જ સચિને કહ્યુ હતું કે ભારત ૧૯મી ઓવરમાં આ મેચ જીતી જશે.

ભારત જયારે ખરેખર ૧૮.૪ ઓવરમાં જીત્યુ તો સચિને રોહિત શર્માનો આભાર માનતા કહ્યુ હતું કે રોહિત ખૂબ જ આક્રમક ઈનિંગ્સ રમ્યો હતો. આશા છે કે રોહિત આ ફોર્મને વન-ડેમાં પણ યથાવત રાખશે. મારી ભવિષ્યવાણી સાચિ સાબિત કરવા બદલ આભાર.

(3:35 pm IST)