Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પાકિસ્તાનના કારણે ભારત પાસેથી છીનવાઇ જશે એશિયા કપની મેજબાની!

ભારતમાં નહીં યોજાય એશિયા કપ?

નવી દિલ્હી તા. ૯ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ કૂટનીતિક સંબંધોની કિંમત હંમેશા રમતને ચુકવવી પડી છે. આ વખતે પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે બીસીસીઆઈએ તેની મોટી કિંમત ચુકાવવી પડી શકે છે. આવતા વર્ષે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં એશિયાકપનું આયોજન થવાનું છે પરંતુ ભારત સરકારે હજુ સુધી બોર્ડને મંજૂરી નથી આપી. એશિયા કપમાં પાકિસ્તાની ક્રિકેટરોને ભારતમાં રમવા માટે આવી શકે છે આથી ભારત પાસેથી આ ટૂર્નામેન્ટની મેજબાની છીનવાઈ શકે છે.

પાછલી ૨૧ નવેમ્બરે બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટની બનાવેલી પ્રશાસકોની સમિતિ એટલે કે સીઓએની મીટિંગમાં એશિયા કપની મેજબાનીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મીટિંગની જાણકારી મુજબ ભારત માટે એશિયા કપની મેજબાની કરવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.

મિનટ્સ ઓફ મીટિંગ મુજબ આ મામલા પર ભારત સરકારે હજુ સુધી પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારત આવવાની મંજૂરી નથી આપી. જો સરકાર આ મંજૂરી નહીં આપે તો બીસીસીઆઈએ જલ્દીથી જલ્દી એશિયન ક્રિકેટ કાઉન્સિલને સૂચિત કરવું પડશે, જેથી તે એશિયા કપની મેજબાની માટે અન્ય કોઈ વિકલ્પ શોધી શકે.

સીઓએના બીસીસીઆઈ દ્વારા મળેલી જાણકારીનો સીધો મતલબ થાય છે કે ભારત માટે હવે એશિયા કપની મેજબાની કરવાનું મુશ્કેલ છે. આ પહેલા સરકારે અંડર ૧૯ એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ આવવાની મંજૂરી નહોતી મળી. જેના કારણે ભારતથી મેજબાની પાછી લેવાઈ હતી.

(12:45 pm IST)