Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પાકિસ્તાનના પ્રવાસે નહિં જ જાય : શ્રીલંકાના ખેલાડીઓએ ચોખ્ખી ના પાડી દીધી

શ્રીલંકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસે જવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સપ્ટેમ્બર - ઓકટોબરમાં બંને દેશો વચ્ચે સીરીઝ રમાનાર છે. વન-ડે ટીમના કેપ્ટન દિમુથ કરૂણારત્ને, ટી-૨૦ કેપ્ટન લસીથ મલીંગા અને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસ જેવા સીનીયર ખેલાડીઓએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી છે. શ્રીલંકાના રમત - ગમત મંત્રી હેરીન ફર્નાન્ડોએ કહ્યુ કે ખેલાડીઓના પરિવારજનોએ ચિંતા દર્શાવી છે ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓ સાથે સુરક્ષા મામલે વાતચીત કરશે

(4:20 pm IST)