Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

આઈપીએલ ખેલાડીઓના વર્કલોડને લઈને અમે ફ્રેન્ચાઈઝીઓ સાથે વાત કરશુ : રવિ શાસ્ત્રી

નવી દિલ્હી,તા.૯ : વિશ્વકપની તૈયારીમાં લાગેલી ટીમ ઈન્ડિયા માટે આ વખતે વિશ્વકપ પહેલા આયોજીત થનારી તેની ઘરેલૂ ટી૨૦ લીગ એક પડકાર બની ગઈ છે. ટીમે પોતાની તમામ તાકાસ સાથે વિશ્વકપમાં ઉતરવું છે અને તે પહેલા ખેલાડીઓએ આઈપીએલમાં પણ રમવાનું છે. જેથી ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને પ્રેશરની ચિંતા ટીમ મેનેજમેન્ટને જરૂર હશે. ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ તે વાતને લઈને ચિંતિત જોવા મળી રહ્યાં છે અને તેણે કહ્યું કે, તેઓ આ વાતને લઈને આઈપીએલ ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓ સાથે વાત કરશે.(૩૭.૧૦)

(2:38 pm IST)