Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ભારતીય ક્રિકેટને ટોપ પર જાળવી રાખવું એ અમારી પ્રાયોરિટી છે : કોહલી

વર્લ્ડ કપની હારને ભૂલીને ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝનો ટી૨૦ સિરીઝમાં ૩-૦થી વાઇટવોશ કરીને ફ્રેશ અને શાનદાર સ્ટાર્ટ કર્યું છે. વર્લ્ડ કપમાં ભારતની ટીમ રાઉન્ડ-રોબિન સ્ટેજ પછી પોઇન્ટ ટેબલમાં ટોપ રહી હતી છતાં સેમી ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડ સામે પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

આગામી ૧૩મો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં ૨૦૨૩માં યોજાવાનો છે. જોકે ટીમ અત્યારે એ વિશે નથી વિચારી રહી અને ફકત ભારતીય ક્રિકેટને ટોપ પર રાખવા વિશે વિચારી રહી છે. ભારતના કેપ્ટન વિરાટે કહ્યું હતું કે ૨૦૨૩ના વર્લ્ડ કપ વિશે વિચારવું બહું વહેલું કહેવાશે. પ્રાથમિકતા હંમેશાં ભારતીય ક્રિકેટને ટોપ પર રાખવા વિશે છે. છેલ્લાં ૩-૪ વર્ષમાં અમે એ અચીવ કરવામાં સફળ રહ્યા છીએ. અમે વર્લ્ડની નંબર ટૂ ટીમ છીએ અને ઘણી વખત નંબર વન પણ બન્યા છીએ.

(1:24 pm IST)