Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

15 એપ્રિલે બીસીસીઆઈ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરશે : 15 ખેલાડીઓના નામની થશે જાહેરાત

રિષભ પંત, ચહલ અને કુલદીપ યાદની પસંદગી થવાની શકયતા

મુંબઈ :ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થવામાં હવે માત્ર બે મહિના જેટલો જ સમય બાકી છે. ત્યારે બીસીસીઆઈ 15 એપ્રિલે મુંબઈમાં ટીમ ઇન્ડિયાનું એલાન કરશે. બીસીસીઆઈ વર્લ્ડ કપ માટે 15 સદસ્યોની તેમનું એલાન કરશે, જેના પર બધા જ લોકોની નજર રહેશે. છેલ્લા કેટલાક દિવસમાં ટીમ ઇન્ડિયામાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. બધા જ નવા ખેલાડીઓને ચાન્સ આપવામાં આવ્યો અને સિનિયર ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવ્યું.

  વર્ષ 2015 વર્લ્ડ કપમાં જે ખેલાડીને પસંદ કરવામાં આવ્યા હતા, તેમાંથી એવા કેટલાક ચહેરા છે જેમની પસંદગી પર શંકા છે. પાછલા વર્લ્ડ કપમાં સ્ટુવર્ટ બિન્ની, અક્ષર પટેલ, સુરેશ રૈના, મોહિત શર્મા અને આર અશ્વિનનું નામ હતું. પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં તેમને જગ્યા મળશે તેના પર શંકા છે. જયારે કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમને પોતાના પરફોર્મન્સ ઘ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, જેમાં રિષભ પંત, ચહલ અને કુલદીપ યાદવનું નામ શામિલ છે.

(1:15 pm IST)