Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોનાના નિયંત્રણ બાદ આઇપીએલનું આયોજન થવુ જોઇએ, ખાલી સ્ટેડિયમમાં આઇપીએલના આયોજનથી વાંધો નથીઃ હરભજન સિંહે લોકોની આજીવિકા મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા

મુંબઈઃ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, તેને ખાલી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ કોવિડ 19 મહામારી પર નિયંત્રણ બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઈએ કારણ કે તેના પર ઘણઆ લોકોની આજીવિકા નિર્ભર છે.

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનાર હરભજન સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું, દર્શક મહત્વપૂર્ણ હોય છે પરંતુ જો પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય તો મને તેના વગર રમવામાં કોઈ મુશ્કેલી નથી. એક ખેલાડી તરીકે મને દર્શકોનું સમર્થન મળશે નહીં પરંતુ તેનાથી તે નક્કી થશે કે પ્રત્યેક દર્શક ટીવી પર જરૂર આઈપીએલ જોઈ શકશે. તેણે કહ્યું, અમારે દરેક વસ્તુ માટે સતર્ક રહેવું પડશે અને ખેલાડીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતામાં રાખવું પડશે. તે પણ નક્કી કરવું પડશે કે મેચ સ્થળ, ટીમ હોટલ, ઉડાન વગેરેની સારી રીતે સફાઇ કરવામાં આવી હોય. આ ઘણા લોકોની આજીવિકાનો સવાલ છે તેથી જ્યારે બધુ બરાબર થઈ જાય તો આપણે આઈપીએલનું આયોજન કરાવવું જોઈએ.

ભારતીય ક્રિકેટ બોર્ડએ આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. પરંતુ આ ઘાતક વાયરસના પ્રકોપને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉનને કારણે તેના જલદી આયોજનની સંભાવના નથી. ભારત તરફથી 103 ટેસ્ટ મેચ રમી ચુકેલા હરભજને કહ્યું, મને મેચોની કમી પડી રહી છે. મને આશા છે કે એક વર્ષ બાદમાં 17 મેચ (ફાઇનલ સહિત) રમી શકીશ. મને મેદાન પર ન જવું ખુંચી રહ્યું છે. દરેક પ્રશંસકને તેની ખોટ પડી રહી હશે. આશા છે કે આઈપીએલ જલદી થશે. ત્યાં સુધી મારે ખુદને ફિટ રાખવો પડશે.

(4:50 pm IST)