Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

યુવરાજે પીએમ- કેર્સ ફંડમાં ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું

નવીદિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહે હાલમાં જ ૫૦ લાખ રૂપિયા દાન કરવાનું નકકી કર્યું છે. યુવરાજે ટ્વીટ કર્યું હતું કે 'આપણે સાથે હોઈએ ત્યારે ખૂબ જ સ્ટ્રોન્ગ થઈ જઈએ છીએ. તમે મારી સાથે છો? હું આજે એ વાતની જાહેરાત કરૃં છું કે પીએમ- કેર્સ ફંડમાં હું ૫૦ લાખ રૂપિયા દાન કરવા જઈ રહ્યો છું. તમે પણ તમારાથી શકય હોય એટલું કરો'

(3:29 pm IST)