Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

માહી - વિરાટને મારા પર પૂરો ભરોસો, મને મારી રીતે રમવાની છૂટ આપે છેઃ કુલદીપ યાદવ

નવી દિલ્હી : આંગળીની ઈજાને લીધે ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની બહાર રહેનાર ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર કુલદીપ યાદવે પૂર્વ સુકાની એમ. એસ. ધોનીની પ્રશંસા કરતા કહ્યુ હતું કે ધોની વિરાટસેનાનો જનરલ છે.

વિરાટ કોહલી કેપ્ટન હોવાના નાતે રણનીતિ બનાવે છે અને ફિલ્ડ પર ધોની તેને સુનિશ્ચિત કરે છે. બોલરોને રણનીતિ અનુસાર બોલીંગ કરવા પર ધોની શિખ આપે છે. કુલદીપે પોતાની સફળતા પર કહ્યુ કે સુકાનીને તમારા પર ભરોસો હોવો જરૂરી છે. ત્યારે જ તમે ખુલ્લીને રમી શકો છો. કોહલી અને ધોનીનો મારા પર પૂરો ભરોસો છે. તેમણે મને મારી રીતે રમવાની છૂટ આપી છે. આથી હું વિકેટ લેવા પર ફોકસ કરી શકુ છું.

(3:43 pm IST)