Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કાલે બીજા વન-ડે કોઈપણ ભોગે ટીમ ઈન્ડિયાએ મેચ જીતવો જરૂરી

સિરીઝ બચાવવા યુવા ખેલાડીઓએ શાનદાર પર્ફોર્મન્સ આપવુ પડશે : સવારે ૭:૩૦થી લાઈવ

ઓકલેન્ડ,તા. ૭ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે બીજી વનડે મેચ રમાનાર છે. પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ ટીમ ઇન્ડિયા પર દબાણ વધી ગયુ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પર પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ દબાણ ખુબ વધી ગયુ છે. ભારતીય ટીમ પર હવે શ્રેણીને બચાવી લેવા માટે પણ દબાણ છે.

વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાને  પ્રથમ વનડે મેચમાં મોટો ફટકો પડ્યો હતો.

ભારતીય ટીમમાં હવે ઘાયલ થયેલા શિખર  ધવનની જગ્યાએ વનડે ટીમમાં પૃથ્વી શોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  તેણે પ્રથમ મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો. સાથે સાથે મંયક અગ્રવાલે પણ શાનદાર શરૂઆત આપી હતી. ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડમાં ભારતે ટ્વેન્ટી શ્રેણી જીતી હતી. ટેસ્ટ શ્રેણી ૨૧મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. બીજી ટેસ્ટ મેચ ૨૯મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે.

(3:28 pm IST)