Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભારતીય ટીમના કેટલાક પ્લેયરો પણ દિલ્હીના પ્રદૂષણથી ટેવાયેલા નથી: ધવન

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓપનર અને દિલ્હી-નિવાસી શિખર ધવને ગઈ કાલે દિલ્હીના ધુમ્મસ અને પ્રદૂષિત વાતાવરણ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નિખાલસપણે કહ્યું હતું કે દિલ્હીમાં હવા ખરાબ જરૂર છે અને અમારી ટીમના જ બીજા રાજ્યોમાંથી આવતા અમુક ખેલાડીઓ અહીંના વાતાવરણથી ટેવાયેલા નથી, પરંતુ હું એવું માનું છું કે પ્રોફેશનલ ક્રિકેટરોએ જ્યારે પોતાને રમત સંબંધિત અમુક જવાબદારી સોંપવામાં આવે ત્યારે એ પૂરી કરવામાં વાતાવરણ જેવી કોઈ પરિસ્થિતિને બાધારૂપ ન બનવા દેવી જોઈએ. વિવિધ રાજ્યોમાંથી આવતા ભારતીય ક્રિકેટરો અહીંની સ્થિતિને ઍડ્જસ્ટ થઈ જ રહ્યા છે.

(9:15 am IST)