Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

IPL-2021: મુંબઇ ઇન્ડિયંસને ઝટકો :વિકેટકીપિંગ કંસલ્ટેન્ટ કિરણ મોરેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કિરણ મોરેમાં અત્યારે લક્ષણો નથી અને તેમને ક્વોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે.

મુંબઈ : પૂર્વ ભારતીય વિકેટકીપર અને મુંબઇ ઇન્ડિયન્સના વિકેટકીપિંગ કંસલ્ટેન્ટ કિરણ મોરે કોરોના સંક્રમિત થયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021) ની ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે મંગળવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. મુંબઇ ઇન્ડિયન્સે કહ્યું,'કિરણ મોરેમાં અત્યારે લક્ષણો નજર નથી આવી રહ્યા અને તેમને ક્વોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે.

(7:15 pm IST)