Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વાનખેડેના ગ્રાઉન્ડ સ્ટાફનો રિપોર્ટ નેગેટીવ

IPL પહેલા દાશકારો

આઇપીએલ પહેલાં મુંબઇમાં વધી રહેલતા કોરોનાના કહેરએ આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો, પણ વાનખેડે સ્ટેડિયમના ૧પ સભ્યો કોરોના-નેગેટીવ આવતા મુંબઇ ક્રિકેટ અસોસીએશન (એમસીએ) રાહતનો શ્વાસ લીધો હતો. નેગેટિવ આવેલા સભ્યોને સ્ટેડિયમના બબલમાં સામેલ કરવામાં આવ્યા છે, જયારે પોઝીટીવ આવેલા બે સભ્યો કવોરન્ટીન છે.

એમસીએએ જણાવ્યું કે ગયા અઠવાડીયે કોરોના-પોઝીટીવ આવેલા બે ગ્રાઉન્ડ-સ્ટાફ કવોરન્ટીન થયા હતા ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમના સ્ટાફમાંના ૧પ સભ્યોના  નેગેટીવ આવ્યા હતા જો કે અમને હજી સુધી રિપોર્ટની ફાઇનલ કોપી નથી મળી. કોરોના-નેગેટીવ આવેલા ૧પ ગ્રાઉન્ડ-સ્ટાફને વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવ્યા છે.

(3:57 pm IST)