Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નિદહાસા ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતનો પાંચ વિકેટે શ્રીલંકા સામે પરાજય

ભારતના 174 રનના જવાબમાં શ્રીલંકાએ 18,3 ઓવરમાં વિજય મેળવ્યો

શ્રીલંકામાં રમાયેલ નિદહાસા ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે શ્રીલંકાએ પાંચ વિકેટે વિજય હાંસલ કર્યો છે શ્રીલંકાની સ્વતંત્રતાના 70 વર્ષ નિમિત્તે યોજાયેલી રહેલી ત્રિ કોણીય ટુર્નામેન્ટ -નિદહાસા ટ્રોફીની પ્રથમ મેચમાં ટોસ હાર્યા પછી પ્રથમવાર બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 174નો સ્કોર કર્યો હતો. શ્રી લંકાએ 18.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 175 રન બનાવી વિજ્ય મેળવ્યો હતો.

   શ્રીલંકાના કુસલ પરેરાએ 37 બોલમાં 66 રન ફટકાર્યા હતાં. થિસારા પરેરે 22 રન અને દાસુન શનાકા 15 રન સાથે અંત સુધી ક્રિઝ પર રહ્યા હતાં. ભારતના વોશિંગ્ટન સુંદર અને યુજવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતના શિખર ધવને 90 રન બનાવ્યા હતાં. ધવને 49 બોલ રમતાં ચોગ્ગા અને છગ્ગા માર્યા હતાં. તેઓ ગુણથિલકાના બોલમાં થિસારાના હાથમાં ઝડપાઈ ગયા હતાં. હવે ટીમ ઈન્ડિયા આઠ માર્ચે બાંગ્લાદેશ સામે મેદાનમાં રમનાર છે.

(12:56 am IST)