Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રોહિત શર્માએ ગેંડાના સંરક્ષણ માટે 'રોહિત ૪રાઈનોઝ' અભિયાન શરૂ કર્યુ

નવીદિલ્હી,તા.૫ : રોહિત શર્મા એનીમલ પ્લેનેટની સાથે મળીને એક સિંગડા વાળા ગેંડાના સંરક્ષણની જરૂરરીયાત પ્રત્યે જાગરૂકતા ફેલવનાર 'રોહિત૪રાઇનોઝ' અભિયાન સાથે જોડાયો છે. આ અભિયાન ૨૨ સપ્ટેમ્બરે 'વિશ્વ રાઇનો દિવસ' માટે એનીમલ પ્લેનેટ પર લોન્ચ કરવામાં આવ્યું છે. રોહિતે આ વિશે ટ્વીટ કર્યું છે. તેણે કહ્યું, 'આપણી ફરજ છે કેઆપણે અન્ય પ્રજાતિઓને પણ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.'

તેણે કહ્યું, 'ભવિષ્ય આપણા હાથમાં છે. આપણે તે નક્કી કરવા માટે બધુ કરવું જોઈએ કે આપણા બાળકો દુનિયાની જૈવ વિવિધતાનો આનંદ ઉઠાવી શકે. મને આશા છે કે આ અભિયાન અન્યને આગળ આવવા માટે અને એક શિંગડા વાળા ગેંડાને બચાવવા માટે એનીમલ પ્લેનેટ, ઉઉહ્લ ઈન્ડિયા અને મેરેની સાથે જોડવા પ્રેરિત કરશે.'

(4:53 pm IST)