Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સહેવાગે કાશ્મીરમાં 200 આંતકવાદીઓને ઠાર કરવા બદલ સેનાને પાઠવી શુભેચ્છા

 

નવી દિલ્હી:ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન વીરેન્દર સેહવાગ સોશ્યલ મીડિયામાં ઘણી વખત ભારતીય સેનાને સપોર્ટ કરતો રહે છે.

તાજેતરમાં તેણે જમ્મુ-કાશ્મીરમાં વર્ષે ૨૦૦ આતંકવાદીઓને ઠાર કરવા બદલ સેના અને પોલીસને શુભેચ્છા પાઠવી હતી. રાજ્ય પોલીસે જણાવ્યા પ્રમાણે વર્ષમાં પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી રોકવાના અભિયાનમાં ૨૦૦ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સેહવાગે ટ્વીટ કરતાં લખ્યું હતું કેઇન્ડિયન આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસનો વર્ષે નૉટઆઉટ ડબલ સેન્ચુરી ફટકારવા બદલ આભાર. ૨૦૧૭માં ૨૦૦ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો. જય હિન્દ. આશા રાખીએ કે ત્યાં શાંતિ સ્થપાશે.’

 

(7:06 pm IST)