Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જે થયુ તે થયું, હવે આઇપીએલની ઘટના હું ભુલી ગયો છુઃ જાડેજા

ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરવાના પ્રયત્‍નો કરીશ

નવી દિલ્‍હીઃ આઇપીએલના વિવાદ અંગે રવિન્‍દ્ર જાડેજાએ કહ્યુ કે એ આ ઘટનાની આગળ વધી ગયો છું હવે મારૂ સંપુર્ણ ધ્‍યાન ભારત માટે રમવા અને સારૂ પ્રદર્શન કરવા પર છે.

જાડેજાએ કહ્યું કે જે થયુ તે થયું. આઇપીએલ મારા મગજમાં નહોતું જયારે પણ તમે ભારત માટે રમો છો. ત્‍યારે તમારું સંપૂર્ણ ધ્‍યાન ભારતીય ટીમ પર હોવું જોઇએ. મારા માટે પણ એવું જ હતું ભારત માટે સારું કરવા કરતાં વધુ સારો કોઇ સંતોષ નથી.

(4:17 pm IST)