Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

લગ્ન બાદ 6 મહિનામાં વિરાટ કોહલી અને અનુષ્‍કા શર્મા માત્ર 21 દિવસ જ મળી શક્‍યાઃ લોકડાઉનના કારણે બંને વધુ વખત મળી શક્‍યા

નવી દિલ્હી: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાનાં લગ્નથી જ હંમેશા ચર્ચામાં રહ્યા છે. બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. લોકડાઉનમાં પણ બંન્નેએ ક્વોલિટી ટાઇમ વિતાવ્યો, જેની તસ્વીરો બંન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અનુષ્કાએ ઇન્ડિયાન ક્રિકેટર ટીમના કેપ્ટન કોહલી સાથે 2017માં લગ્ન કર્યા હતા. જો કે શું તમે જાણો છો કે, લગ્ન બાદ 6 મહિનામાં પતિ પત્ની માત્ર 21 દિવસ જ મળી શક્યા હતા. એક અહેવાલ અનુસાર અનુષ્કા શર્માએ પોતાના ઇન્ટરવ્યું દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.

અનુષ્કા શર્માએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, લોકડાઉનની આભારી છું જેના કારણે અમને બંન્નેને આટલો સમય સાથે વિતાવવા મળ્યો.આવી તક અમને પહેલા ક્યારે પણ મળી નહોતી. લોકોને લાગે છે કે વિરાટ મને મળવા આવે છે અથવા હું તેમને મળવા માટે જઉ છું તો અમે હોલી ડે મનાવીએ છીએ. પરંતુ એવું નથી અમારા બે પૈકી કોઇ એક વ્યક્તિ સતત કામ કરતું રહે છે. જ્યારે અમારા લગ્ન થયા તો ત્યાર પછીના 6 મહિનામાં અમે માત્ર 21 દિવસ જ મળી શક્યા. સાચુ કહું મે આની ગણતરી કરી છે. જ્યારે પણ તેને મળવા માટે વિદે જતી તો અમે સાથે બેસીને લંચ કે ડિનર કરતા હતા બસ આ જ અમારો સૌથી કિંમતી સમય હતો.

બીજી તરફ લોકડાઉનમાં પતિ વિરાટ કોહલી સાથે સમય વિતાવવા અંગે તેમણે કહ્યું કે, આ સમય અમારા બંન્ને માટે ખુબ જ ખાસ રહ્યો. અમે બંન્ને એકસાથે પહેલા ક્યારે પણ આટલો સુંદર સમય પસાર નથી કર્યો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઇન્ડસ્ટ્રીનું ખુબ જ હોટ કપલ છે. જ્યાં સુધી અનુષ્કાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો હાલ તે ફિલ્મ પ્રોડક્શનનું કામ કરી રહી છે. હાલમાં જ તેની ફિલ્મ બુલબુલ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

(4:58 pm IST)