Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ભારત પાકિસ્તાનને ૧૦માંથી ૯ વખત હરાવશે : હરભજન સિંહ

નવી દિલ્હી : ભારત વતી ટેસ્ટમાં પહેલી હેટ-ટ્રિક લેનાર ઓફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે પાકિસ્તાની ટીમની પાસે ૧૬ જૂનના રોજ ભારતને વર્લ્ડ કપની મેચમાં હરાવવાનો કોઈ મોકો નથી, કારણ કે સરફરાઝ અહમદના નેતૃત્વવાળી હાલની ટીમમાં અનુભવની કમી છે.

હરભજને એક પ્રોગ્રામમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે પાકિસ્તાનનું ફોર્મ એટલું શાનદાર નથી અને તેમની પાસે એટલો અનુભવ પણ નથી. વીતેલા સમયની પાકિસ્તાની ટીમને હરાવવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ હાલની ટીમ ભારતની સામે ૧૦માંથી ૯ વખત હારી જશે. તેમની પાસે કોઈ મોકો જ નથી. પાકિસ્તાન સામે વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમ પર ખૂબ જ દબાણ હશે. જયારે બે મજબૂત ટીમોનો મુકાબલો થાય છે તો મજબૂત ટીમને હંમેશાં અસફળ થવાનો ડર હોય છે. પાકિસ્તાનની સામે હારવાનું નહીં એનું દબાણ ખૂબ જ વધુ હોય છે. હું જાણું છું કે પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતમાં શું થાય છે. લોકો બાકીની મેચોને યાદ રાખતા નથી, પરંતુ પાકિસ્તાનની મેચની દરેક પળ યાદ રહે છે. પાકિસ્તાન પાસે ગુમાવવા માટે કશું નથી. જો તેઓ ભારતની સામે જીત મેળવી લેશે તો એ તેમના માટે બોનસ હશે.

(2:06 pm IST)