Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લેગ સ્પિનરો ટેસ્ટ ક્રિકેટ રમતા નથી,જેનું મને દુઃખ છેઃ શિવરામકૃષ્ણ

માત્ર વ્હાઈટ બોલના મેચો રમી ખુશી અનુભવે છે

નવીદિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ લેગ- સ્પિનર એલ. શિવરામકૃષ્ણને કહ્યું કે 'અત્યારે ક્રિકેટ જગતમાં જેટલા પણ લેગ- સ્પિનરો છે એમાંથી ભાગ્યે જ કોઈ સ્પિનરને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની મહેચ્છા હોય છે.'

શેન વોર્ન એન અનિલ કુંબલે જેવા લેજન્ડરી લેગ- સ્પિનરોની નિવૃતિ પછી લાંબા સમય સુધી ટેસ્ટમાં ઊંડી છાપ પાડી શકે એવો કોઈ લેગ- સ્પિનર નથી જોવા મળ્યો.

શિવા તરીકે ઓળખાતા શિવરામકૃષ્ણને એવું પણ કહ્યું હતું કે 'હવે તો મોટા ભાગના લેગ- સ્પિનરો વાઈટ બોલની મેચોમાં (મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં) જ રમીને ખુશ હોય છે. આ જોઈને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે.'

(3:34 pm IST)