Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સૌરવ ગાંગુલીએ મને ખૂબ સપોર્ટ કર્યો, મને ધોની અને વિરાટ કોહલી પાસેથી તે પ્રકાશે સપોર્ટ મળ્યો નથીઃ યુવરાજ સિંહનો ધડાકો

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ 17 વર્ષના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘણા કેપ્ટનોની આગેવાનીમાં રમ્યો હતો. હવે યુવીએ જણાવ્યું કે, તેની નજરમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન કોણ છે. 38 વર્ષીય આ પૂર્વ ઓલરાઉન્ડરે મંગળવારે કહ્યું કે, તે હંમેશા સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રમાયેલા પોતાના સમયને યાદ કરે છે.

એમએસ ધોનીની આગેવાનીમાં તેણે 2011નો વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી અને તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો આ ડાબા હાથના બેટ્સમેને કહ્યું કે, તેમ છતાં તે ગાંગુલીની આગેવાનીમાં રમેલા પોતાના સમયને યાદ કરે છે.

એક અંગ્રેજી અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં યુવરાજે કહ્યું, હું સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રહ્યો અને તેમણે મને ખુબ સપોર્ટ કર્યો, મને ગાંગુલીની આગેવાની તે માટે ખુબ યાદ છે કે તેણે ઘણું સમર્થન આપ્યું. મને માહી (ધોની) અને વિરાટ કોહલી પાસે તે પ્રકારે સપોર્ટ મળ્યો નથી.

યુવરાજે ભારત માટે 304 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાં 8701 રન બનાવ્યા છે. તેણે પોતાના વનડે કરિયરમાં 14 સદી ફટકારી હતી. યુવરાજને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેની નજરમાં મુથૈયા મુરલીધરનનો સામનો કરવો સૌથી મુશ્કેલ રહ્યો હતો.

તેણે કહ્યું, મને મુથૈયા મુરલીધરનનો સામનો કરવામાં ખુબ મુશ્કેલી આવતી હતી. મને તેની બોલિંગ સમજાતી નહતી. પછી તેંડુલકરે મને કહ્યું મુરલીધરનના બોલ પર સ્વીપ કરવાનો આઇડિયો આપ્યો અને તેનાથી મને ઘણી સરળતા થઈ હતી.

તેણે કહ્યું, ગ્લેન મૈક્ગ્રાએ મને ઘણીવાર બહાર જતા બોલ પર પરેશાન કર્યો હતો. સારી વાત છે કે મારે મેક્ગ્રાનો વધુ સામનો ન કરવો પડ્યો કારણ કે ટેસ્ટ મેચોમાં મને વધુ રમવાની તક મળી નહતી.

(5:37 pm IST)