Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વન ડે સિરીઝથી બહાર થઇ શકે છે બુમરાહ

નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. બુમરાહને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી -20 મેચમાં શ્રેણીમાંથી આરામ અપાયો હતો. ત્રીજી ટેસ્ટ બાદ બુમરાહ અંગત કારણો જણાવીને ચોથી ટેસ્ટથી પીછેહઠ કરી હતી. બુમરાહ હવે વનડે શ્રેણીમાંથી બહાર રહી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી 23 માર્ચે પુણેમાં શરૂ થવાની છે. બુમરાહની ગેરહાજરીમાં ભારતને નવા ખેલાડીઓને તક આપવાની તક મળશે.

(5:58 pm IST)