Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કોચ શ્રીરૂપા બોસનું હાર્ટ એટેકથી નિધન

નવી દિલ્હી:ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કોચ અને મહિલા બેટ્સમેન શ્રીરૂપા (મુખર્જી) નું હાર્ડ અટેકના કારણે અવસાન થઈ ગયું છે. ૬૬ વર્ષીય શ્રીરૂપાએ કોલકાતાના પોતાના નિવાસ સ્થળ પર છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રીરૂપા પોતાના પતી ભૂતપૂર્વ બંગાળ ઓલમ્પિક એસોસિએશન (બીઓએ) અધ્યક્ષ પરેશ નાથ મુખર્જી અને પુત્રી ટેનીસ ખેલાડી અમૃતા મુખર્જીની સાથે રહેતી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, શ્રીરૂપા સવારે લગભગ ૧૦:૩૦ વાગે બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર બાદ તેમને સ્થાનીય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.શ્રીરુપા ભારતીય મહિલા ક્રિકેટમાં જાણીતું નામ છે. તેમને કેટલીક વનડે મેચમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. ત્યાર બાદ ૧૯૯૩, ૧૯૯૭ અને ૨૦૦૦ માં આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાના કોચ પદની જવાબદારી નિભાવી હતી.

 

(5:59 pm IST)