Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

IPLમાં ખેલાડઓની ટ્રાન્સફર થઈ શકશે

તમામ ટીમોએ આ મુદ્દાને માન્ય રાખ્યુ : સીઝનમાં તમામ ખેલાડીઓને પોતાનું પર્ફોર્મન્સ બતાવવા તક મળશે : રાજીવ શુકલા

સમયમાં ફેરફાર ઉપરાંત એક મોટા ફેરફારને પણ બધી ફ્રેન્ચાઈઝીએ માન્યતા આપી દીધી છે. પ્રસ્તાવ પ્રમાણે હવે ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન પણ ખેલાડીઓની ટ્રાન્સફર કરી શકાશે. ફૂટબોલ ટુર્નામેન્ટ ઈંગ્લીશ પ્રીમીયર લીગની સ્ટાઈલમાં થનારા ફેરફારમાં જો કે એ જ ખેલાડીઓની ટ્રાન્સફર કરી શકાશે જેને પહેલી સાત લીગમાંથી ફકત બે જ મેચમાં રમવા મળ્યુ હશે.

અધવચ્ચે ખેલાડીઓની ટ્રાન્સફર વિશે આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ જણાવ્યુ હતું કે આ એક વિચાર આવ્યો હતો જેનો બધી જ ટીમોએ સ્વીકાર કરી લીધો હતો. બધી જ ટીમો આને આવતી સીઝનમાં અમલમાં મૂકવા તૈયાર છે. આને લીધે એવા ખેલાડીઓને ફાયદો થશે જેઓ સારા ેછે, પણ કોઈક કારણોસર પ્લેઈંગ ઈલેવનમાં તક નથી મળતી. અમે પાંચમી ડિસેમ્બરે દિલ્હીમાં ગવર્નીંગ કાઉન્સીલની મીટીંગમાં આ બધી બાબતો પર ચર્ચા કરીશુ અને ફાઈનલ નિર્ણય લઈશુ.

(12:03 pm IST)