Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારત- શ્રીલંકા સિરીઝમાં હિન્દી, તામિલ, તેલુગુ અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી

માંજરેકર, લક્ષ્મણ,જાડેજા, અગરકર, મિશ્રા, રાજુ, શિવરામકૃષ્ણન વિ.કોમેન્ટ્રી કરશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે અને ટી-૨૦ સિરીઝનો પ્રારંભ ૧૩ જુલાઈ શરૂ થશે. જેમાં કોમેન્ટ્રી પેનલની ઘોષણા કરવામાં આવી છે. અંગ્રેજી પેનલમાં ભારતના ૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. અજીત અગરકર, અજય જાડેજા, સંજય માંજરેકર અંગ્રેજીમાં જયારે હિન્દીમાં, વિવેક રાજદાન, અમિત મિશ્રા, સબાકરીમ, અરૂણ પંડિતજી કોમેન્ટ્રી કરતાં જોવા મળશે.

જયારે તમિલમાં લક્ષ્મણ, ડબલ્યુવી રમન, વિદ્યુત શિવરામકૃષ્ણન, ટી અરાસુ, એસ શૈષાદી તેમજ તેલુગુમાં વેંકટપતિ રાજુ, જ્ઞાનેશ્વર રાવ, સી વેંકટેશ, આર.જે. હેમંત, સંદિપકુમાર, વિજય મહાવાદીનો સમાવેશ થયો છે.

(11:44 am IST)