Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે નકારી કાઢ્યો રણતુગાના દાવાને

૨૦૧૧ની વર્લ્ડકપની ફાઈનલમાં શ્રીલંકાની ટીમની હારના મુદ્દે સવાલ ઉઠાવનારા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના દેશના ક્રિકેટ બોર્ડમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના દાવાને શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ થિલંગા સુમતિપલાએ કહ્યું હતું કે દેશને ૧૯૯૬નો વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીએ યોગ્ય પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર હતી. ૧૯૯૯ની હારના મામલે રણતુંગાને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તે પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની ટીમ ૧૯૯૯માં પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી.

(4:39 pm IST)