Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વાહ...ઉનડકટ વાહ

આઈપીએલની સેલેરીના ૧૦ ટકા કોરોના દર્દીઓને ડોનેટ કર્યા

નવીદિલ્હીઃ રાજસ્થાન રોયલ્સના પેસ બોલર જયદેવ ઉનડકટે આઈપીએલમાંથી મળનારી સેલેરીનો ૧૦ ટકા હિસ્સો કોરોનાના દર્દીઓના ઈલાજ માટે ડોને ટ કર્યો છે. રાજસ્થાને આ વર્ષે તેને ત્રણ કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો.

ટ્વિટર પર જાણકારી આપતાં જયદેવે કહ્યું કે 'હું મારા આઈપીએલની સેલેરીનો ૧૦ ટકા હિસ્સો કોરોનાના જરૂરિયાતમંદ દર્દીઓના મેડિકલ રિસોર્સ માટે ડોનેટ કરૃં છું. યોગ્ય જગ્યાએ એ પહોંચે એ વાતનું ધ્યાન મારા પરિવારજનો રાખશે. જય હિન્દ.'

(2:43 pm IST)