Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઓસ્ટ્રેલિયા સામે બાકીની બે ટેસ્ટ માટે ટી.નટરાજન ટીમમાં

પગમાં ઈજા થતાં ઉમેશ યાદવ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર : બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલાં શાર્દુલ ઠાકુરને મોહમ્મદ શમીની જગ્યાએ ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો

મેલબોર્ન, તા. ૧ : ભારતીય ઝડપી બોલર ટી નટરાજનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇજાને કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયેલા ઉમેશ યાદવની જગ્યા નટરાજન લેશે. યાદવ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇજાગ્રસ્ત થયો હતો. તેને પગમાં ઇજા પહોંચતાં સીરિઝમાંથી બહાર થયો હતો.

સિલેક્શન કમિટીએ શુક્રવારે યાદવના રિપ્લેસમેન્ટ તરીકે ટી નટરાજનને ટીમમાં સામેલ કર્યો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલાં શાર્દુલ ઠાકુરને મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં સામેલ કરાયો હતો. શમીને પ્રથમ ટેસ્ટમાં બેટિંગ દરમિયાન કાંડામાં ઇજા પહોંચી હતી. શમી અને યાદવ બન્ને ઇજાને કારણે રિહેબ માટે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી જશે. ઉપરાંત રોહિત શર્મા ક્વોરન્ટીન પૂરંા કરું ભારતીય ક્રિકેટ ટીમ સાથે મેલબોર્નમાં છે.

ભારતીય ટેસ્ટ ટીમઃ અજિંક્ય રહાણે (સુકાની), રોહિત શર્મા (ઉપ સુકાની), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર, ટી.નટરાજન.

(7:48 pm IST)