Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જુનાગઢ જયંતિભાઇ તેરૈયાના પૌત્ર ચિ.પ્રેરકના ઉપનયન સંસ્‍કાર

જુનાગઢ :  રાજુલા નિવાસી નિવૃત મામલતદાર અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિલાલ સામતભાઇ તેરૈયા અને સ્‍વ. જયોત્‍સનાબેનના પૌત્ર અને જયકુમાર તથા ચંદ્રીકાબેનના પુત્ર ચિ. પ્રેરકના ઉપનયન સંસ્‍કાર તા. ૬ જુન મંગળવારના રોજ પ્રકૃતિધામ રિર્સોટ રૂપાયતન રોડ ભવનાથ જુનાગઢ ખાતે નિરધારેલ છે.

જેમાં પ ને સોમવારના રોજ સાંજે પ કલાકે મંડપરોપણ ૭ કલાકે પીઠી અને ૯ કલાકે દાંડીયા રાસ તેમજ તા. ૬ ના રોજ સવારે ૬ કલાકે ચિ. પ્રેરક યજ્ઞોપવિત સંસ્‍કાર ધારણ કરશે. ૧૦ કલાકે કાશી યાત્રા અને બપોરે ૧ર-૩૦ કલાકે સ્‍વરૂચી ભોજનનું આયોજન કરાયુ હોવાનું જયંતિભાઇએ જણાવ્‍યું છે.

(12:16 pm IST)