Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પોબારૂ પરિવારના આંગણે શરણાઈ ગુંજશે

રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ - રાજકોટ કોમર્શીયલ સેન્ટર લી.ના પ્રમુખ રાજુભાઈ પોબારૂના સુપુત્રના શુભલગ્ન : ચિ.દિશીત * ચિ. યેશા

રાજકોટ : લોહાણા અગ્રણી તથા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ, રાજકોટ કોમર્શીયલ સેન્ટર લીમીટેડ (સટ્ટા બજાર)ના પ્રમુખ, રાજકોટ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના મંત્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટના ટ્રસ્ટી, શ્રી રામજી મંદિર - રતનપરના ઉપપ્રમુખ એવા શ્રી રાજુભાઈ પોબારૂ અને શ્રીમતી સ્નેહાબેન પરિવારના આંગણે શુભ અવસર આવ્યો છે. ચિ.દિક્ષિતના શુભલગ્ન શ્રીમતી કલ્પનાબેન તથા શ્રી દર્શનભાઈ મહેતાની સુપુત્રી ચિ. યેશા સાથે તા.૧ ડિસેમ્બરના શુભદિને નિરધારેલ છે. તા.૨૯ના સાંજે ૪:૪૫થી મંડપરોપણ - માળારોપણ થશે.

આ પ્રસંગે તા.૩૦ના શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી 'દિશીત કી યે શામ મસ્તાની' શિર્ષક હેઠળ જાણીતા ગાયિકા જાનકી પારેખના સંગીતનો કાર્યક્રમ રાખેલ છે. તા.૧ ડિસે.ના ચિ.દિશીત અને ચિ.યેશા લગ્નના બંધનમાં બંધાશે. સાંજે ૫:૫૧ કલાકે હસ્તમેળાપ થશે.

જયારે નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨ ડિસે.ના સોમવારના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાથી રાખેલ છે.

(3:27 pm IST)