Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગોરધનભાઈ લીંબાસિયા (જયકો ગ્રુપ)ના સુપુત્રના શુભલગ્નઃ કાલે સત્કાર સમારંભ

રાજકોટઃ. મૂળ ખોડાપીપરવાળા હાલ રાજકોટ નિવાસી લિંબાસીયા પરિવાર (જય-કો પટેલ એન્ડ કંપની)ના આંગણે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી લગ્નોત્સવના રૃડા ઢોલ વાગ્યા છે. શ્રીમતી કંચનબેન તથા શ્રી ગોરધનભાઈ હીરાભાઈ લિંબાસીયાના સુપુત્ર ચિ. તૃપિલના શુભલગ્ન ધોરાજી નિવાસી શ્રીમતી હંસાબેન તથા શ્રી શાંતિલાલ નરસિંહભાઈ માવાણીની સુપુત્રી ચિ. ભુમિ સાથે આજે તા. ૨૩-૫-૨૦૧૯ ગુરૃવારે નિર્ધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ આવતીકાલે શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ૨-મવડી બાયપાસ, પાળ રોડ,   રાજકોટ  ખાતે  નિર્ધારેલ  છે.

(9:21 am IST)