Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ. પ્રતિક - ચિ. શ્રૃતિ

રાજકોટઃ અ.સૌ.મીરાબેન અને રાજેશકુમાર કનુભાઇ મહેતાના સુપુત્ર ચિ. પ્રતિકના શુભલગ્ન મોરબી નિવાસી અ.સૌ. સુનિતાબેન તથા મહેન્દ્રભાઇ બાલાશંકર પંડયાનાં સુપુત્રી ચિ. શ્રૃતિ સાથે તા.ર૮ને રવિવારે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે તા.ર૭ ને શનીવારે બપોરે ૩-૩૦ વાગ્યે મંડપ રોપણ, તા.ર૭ ને શનીવારે દાંડીયારાસ તથા ભોજન સમારંભ સાંજે ૭-૩૦ વાગ્યે ધ ગ્રાન્ડ ઠાકર હોટલ જવાહર રોડ, જયુબેલી ગાર્ડનની સામે રાજકોટ ખાતે તથા જાન પ્રસ્થાન તા.ર૮ને રવિવારે સવારે ૬ વાગ્યે. હસ્ત મેળાપ સવારે ૧૦-૩૦ વાગ્યે શ્રી ઔદિચ્ય બ્રાહ્મણની ભોજનશાળા, સબજેલ પાસે, વાંકાનેર દરવાજા મોરબી ખાતે રાખેલ છે.

(9:47 am IST)